Dark Mode
Thursday, 08 May 2025
Logo banner

શિવસેના કોની તે હજુ નક્કી નહીં! : ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથને ચૂંટણીપંચે પાઠવી નોટીસ

શિવસેના કોની તે હજુ નક્કી નહીં! : ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથને ચૂંટણીપંચે પાઠવી નોટીસ

બન્ને જૂથને પક્ષમા- સાંસદો- ધારાસભ્યોમાં બહુમતીના પુરાવા રજુ કરવા જણાવાયું

મહારાષ્ટ્રમાં શિવસેના પર કબજા અંગે પક્ષના વડા અને પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને બાગી નેતા તથા મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલુ થયેલી ટકકરમાં હવે ચૂંટણી પંચે બન્ને જૂથને તા.8 ઓગષ્ટ સુધીમાં તેમના બહુમતીના દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા પાઠવવામાં આવેલી નોટીસમાં તેઓ પાસે પક્ષના સંગઠનમાં બહુમતી છે તેવા પુરાવા રજૂ કરવાના રહેશે. જેમાં પક્ષના ધારાસભ્યો તથા સાંસદોના સમર્થનમાં લેખીત પત્રો પણ આપવાના રહે છે.

હવે જે રીતે શિંદે જૂથે ધારાસભ્યો તથા સાંસદોમાં બહુમતીને સાથે લઈ લીધા છે તેથી પક્ષના સંગઠનમાં પણ તેઓને બહુમતીની આશા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં એક રીટ થી 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા જે અરજી કરી છે તેમાં નિર્ણય પણ વિલંબમાં છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!