Dark Mode
Thursday, 08 May 2025
Logo banner

પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે: તા. 28-29ના અગાઉ મુલત્વી રહેલા અનેકવિધ કાર્યક્રમોનુંં આયોજન

પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે: તા. 28-29ના અગાઉ મુલત્વી રહેલા અનેકવિધ કાર્યક્રમોનુંં આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 28 અને 29 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે તથા અમદાવાદ અને હિંમતનગર ખાતેનાં અગાઉ મુલત્વી રહેલા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. શ્રી મોદી તા. 15ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે મુલાકાત રદ થઇ હતી જે હવે પુન: તા. 28-29ના રોજ નિશ્ચીત થયો છે.

ઉપરાંત શ્રી મોદીનો આ કાર્યક્રમ બે દિવસનો થયો છે. તેઓ ગાંધીનગરમાં ગિફટ સિટી ખાતે સિંગાપોર નિફટીના ટ્રેડીંગનો પ્રારંભ કરાવશે ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની આ મુલાકાત મહત્વ ધરાવે છે. શ્રી મોદી ગાંધીનગરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી વ્યૂહ અંગે ચર્ચા પણ કરશે. ગુજરાતમાં આ વર્ષના અંતે ધારાસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને તેની સાથે હિમાચલ તેમજ જમ્મુ-કાશ્મીરની પણ ચૂંટણી યોજાશે તેવા સંકેત છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!